Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના થેરકા ગામના પંચકૃષ્ણ મુકામે 11 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરાયું

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલ ધર્મ પ્રેમી, ભક્તો ,સંતો ,મહારાજો, વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ બહેનોને ધર્મલાભ આપવા માટે ઝાલોદને અડીને આવેલા થેરકા મુકામે અતિ પ્રાચીન મંદિર આવેલું છે શ્રી પંચક્રિષ્ણ ધામ છે જે પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન મંદિર બનાવેલ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જાતે પાંડવોને મળવા અહીં આવ્યા હતા આવાં પ્રાચીન મંદિરે 11 કુંડી મહાયજ્ઞ થઈ રહયો છે. આ ધર્મલાભ લેવા તમામ ભક્તો સંતો આગેવાનો તન મન ધનથી ભાગીદાર તથા સહભાગી થઈ આ આયોજનને સફળ બનાવવા પણ અપીલ કરાઈ છે. તારીખ.28/09/2025 રવિવારે સમય- 11 કલાકે યજ્ઞની શરૂઆત થવાની છે. આ યજ્ઞમાં બેસવા ઇચ્છતા લોકો 1 . સંગાડા ગણપતભાઈ મહારાજ નં. 9875269372 . 2 . ગુજ્જર જગુભાઈ નં. 9428448235 સંપર્ક કરી શકે છે.

Share

Related posts

વડોદરામાં દક્ષ પટેલના હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે પટેલ સમાજે મૌન રેલી કાઢી .

gujaratjanekta

દાહોદ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ દાદા ની જન્મ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ભારે પવન અને વરસાદના કારણે દાહોદ ગરબાડા રોડ જેશાવાડા રોડ ઝાલોદ મુખ્ય માર્ગે ઝાડ પડી જતા યુધ્ધના ધોરણે હટાવી રસ્તો ખુલ્લો કરતું સામાજીક વનીકરણ વિભાગ દાહોદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial