ભારતની ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક રાહતભર્યો નિર્ણય સામે આવ્યો છે, જેમાં LPG સપ્લાયને લઈને મહત્વપૂર્ણ છૂટ આપવામાં આવી છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અનેક ઉદ્યોગોને ફરી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય સ્તરે લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે વિવિધ ઉદ્યોગોને નિયંત્રિત પ્રમાણમાં LPG ગેસનો પુરવઠો કરવાની મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ, હેવી મેટલ અને કૃષિ આધારિત ઉદ્યોગોને જરૂરીયાત મુજબ સપ્લાય આપવા સૂચના આપવામાં આવી.
કેન્દ્રીય પેટ્રોલિયમ સચિવ દ્વારા તમામ રાજ્યોને પત્ર લખીને આ બાબતની સત્તાવાર માહિતી આપવામાં આવી છે, જેથી રાજ્ય સ્તરે પણ ઝડપથી અમલ થઈ શકે. આ નિર્ણયનો સૌથી વધુ લાભ ગુજરાતના ઉદ્યોગોને થવાની શક્યતા છે. ખાસ કરીને સિરામિક, ડેરી અને અન્ય મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે આ મહત્વપૂર્ણ સાબિત થશે.

