“માંડવી શહેરના મુખ્ય માર્ગ લાયજા રોડની બિસ્માર હાલત ઢાકવા આખરે સ્થાનિકોએ આત્મ નિર્ભર બની રોડ વચ્ચેના મોટા ખાડા જાતે પુરયા”
માંડવી:-
શહેરભરમાં જ્યારે ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છેં ત્યારે નવા સ્વામીનારાયણ મંદિર રોડ પરના મોટા ખાડા જીવલેણ અકસ્માત સર્જી શકે છે જેની મરંમત માટે સ્થાનીકો દ્વારા બે વખત નગર સેવા સદન ખાતે રજુઆત કરાઈ હતી પણ આખરે પ્રશ્નનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ પોતે આત્મ નિર્ભર બની રસ્તા વચ્ચેના ખાડા પુરવા જહેમત ઉઠાવી હતી.

