Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાળીગામ ગુજ્જર ના સરપંચશ્રી રમેશભાઈ નારણભાઇ રસુઆત દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ કાળીગામ ગુજ્જર ના સરપંચશ્રી *રમેશભાઈ નારણભાઇ* *રસુઆત* દ્વારા ૭ ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવીટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છેઆજ રોજ તા: 23/8/2025 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચશ્રી રમેશભાઈ રસુઆત, તાલુકા ટીબી સુપરવાઈઝર સતીષભાઈ ગરાસીયા અને સંદીપભાઈ બારીઆ, CHO, આશાવર્કરબેન, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના DL નીતેશ ડોડીયા તથા સેજલબેન રોઝ હાજર રહેલ. જે અંતર્ગત કાળીગામ ગુજ્જર ગામ ના સરપંચશ્રી દ્વારા કુલ ૭ ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

Share

Related posts

વડોદરા ક્રાઈમ બ્રાંચે મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપ્યો, કરોડોનું ફૂલેકું ફેરવી તાન્ઝાનિયા ભાગી ગયો હતો

Admin

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદમાં દેવગઢ બારીયાની વાય એસ આર્ટ્સ કોલેજ ખાતે સ્વીપની પ્રવૃત્તિ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ફતેપુરા મુકામે કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial