દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકા માં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમમાન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ જિલ્લા ક્ષય અધિકારીશ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ કાળીગામ ગુજ્જર ના સરપંચશ્રી *રમેશભાઈ નારણભાઇ* *રસુઆત* દ્વારા ૭ ટીબી દર્દી ને પોષણ કીટ વિતરણ કરવામાં આવીટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા, એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 છેઆજ રોજ તા: 23/8/2025 ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ગુજ્જર ગામ ખાતે ટી.બી. દર્દીઓ ને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જે કાર્યક્રમમાં સરપંચશ્રી રમેશભાઈ રસુઆત, તાલુકા ટીબી સુપરવાઈઝર સતીષભાઈ ગરાસીયા અને સંદીપભાઈ બારીઆ, CHO, આશાવર્કરબેન, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના DL નીતેશ ડોડીયા તથા સેજલબેન રોઝ હાજર રહેલ. જે અંતર્ગત કાળીગામ ગુજ્જર ગામ ના સરપંચશ્રી દ્વારા કુલ ૭ ટી.બી. દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ વિતરણ કરવામાં આવેલ.

