Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ અગ્રવાલ સમાજ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિતે આશ્રમ શાળાની કન્યાઓને ભોજન પ્રસાદી આપી

પંકજ પંડિત

ઝાલોદ નગરનું અગ્રવાલ સમાજ દાન, ધર્મ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમા હંમેશ આગળ રહેતું હોય છે. નગરના દરેક ધાર્મિક કે નગરને પ્રેરણા આપતા કોઈ પણ કાર્યક્રમોમા ઉદાર હાથે પ્રવૃત્તિ કરી હંમેશ આગળ રહેતા હોય છે. કોઈ પણ ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં મોખરે રહી નગરમાં સહકાર આપતા રહેલ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહેલ છે ત્યારે ભોળાનાથ ભગવાનની સેવા પૂજા તેમજ નગરના ધાર્મિક કાર્યક્રમોમા સાથ સહકાર આપી નગરમાં દરેક ધાર્મિક કાર્યક્રમો સુંદર થાય તેવી ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહેતા હોય છે.કુંવારી કન્યાઓની પૂજા કરી તેમાં દેવી દેવતાના વાસ હોય તેવું દરેક સનાતન ધર્મ સાથે જોડાયેલ હિન્દુ સમુદાય માને છે. શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે અગ્રવાલ સમાજની મહિલાઓ દ્વારા શ્રી રામજાનકી ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ( દેવજીની સરસવાણી) મુકામે જઈ ત્યાં અભ્યાસ કરતી કન્યાઓને ભોજન પ્રસાદી કરાવી કન્યા ભોજનનો લાભ લીધો હતો.

Share

Related posts

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

Admin

મતદાનના દિવસે દાદા બજરંગ બલીની ગદા ભરશે, ચૂંટણીપંચ નોટીસ મોકલશે એટલે કઈ ગોળી છે તેનો જવાબ આપીશ- મધુ શ્રીવાસ્તવ

gujaratjanekta

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેરાના મુસ્લિમ કસ્બા પંચ કમિટી દ્વારા તિરંગા યાત્રા નિકળી – જુઓ VIDEO

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial