ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિઠ્ઠલ ચોરમલેના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળિયા પ્રા. શાળા ખાતે એક પેડ મા કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.આ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા યોગ કો. ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી સહિત શાળાના આચાર્યશ્રી ઇશ્વરભાઇ ડીંડોર, સી.આર. સી. પ્રતાપભાઈ ભાભોર તેમજ શાળાના શિક્ષક ભાઈઓ-બહેનો અને મેરા યુવા ભારત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક આશાબેન મછાર, શકુંતલાબેન હાજર રહ્યા હતા. જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગીએ મેરા યુવા ભારત દાહોદની કામગીરી વિશે શાળા ના સ્ટાફ ને માહિતી આપી હતી. વૃક્ષ આપણા માટે કેટલું ઉપયોગી છે અને યોગ ઑક્સિજન વિશે જાણકારી આપી હતી.

