દાહોદ : સમગ્ર દાહોદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન એક જન આંદોલન બની ગયુ છે. આ અભિયાનને સાકાર કરવા તેમજ દાહોદ જિલ્લાને સ્વચ્છ રાખવા માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેક જગ્યાઓએ વિવિધ પ્રકારના કાર્યક્રમ તેમજ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.જે અંતર્ગત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મીનાક્યાર ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત આરોગ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સાથે IEC મારફતે સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી હતી.

