શ્રી કે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં CWDC , (કોલેજીએટ વુમન્સ ડેવલપમેન્ટ સેલ) અંતર્ગત કૉલેજના આચાર્યશ્રી, ડૉ એ. આર. મોદી ના માર્ગદર્શન તથા પ્રેરણાથી ખાસ વિધાર્થિની બહેનોમાં તેમના કાનૂની અધિકારો તેમજ વિવિધ કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃતતા કેળવવાના હેતુથી ઝાલોદની નામદાર કોર્ટના સહયોગથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
વક્તાઓ અને મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત CWDC ના કન્વીનર સવિતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદી સાહેબે બહેનોને સાંપ્રત સમયમાં તેમના વિશેષ અધિકારો અને કાયદાઓનું જ્ઞાન કેળવી તેનું સદુપયોગ કરવા તેમજ દુરુપયોગ અટકાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઝાલોદ કોર્ટના પેનલ એડવોકેટ શ્રી પી.ડી. પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓ માટે કયા કયા ખાસ કાયદાઓ અને અધિકારો છે તે અંગે માહિતી આપી હતી ઉપરાંત બહેનો સાથે કાર્ય સ્થળ પર જો કોઈ પણ પ્રકારનું દુર્વ્યવહાર,છેડતી અથવા ઘરેલુ હિંસા થાય તેવા કિસ્સામાં તેમના રક્ષણ માટે કયા કયા કાયદાઓની જોગવાઈ છે તથા તેઓને કેવી રીતે ન્યાય મળી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ASI રાકેશભાઈ પલાસે બહેનોએ નિર્ભિક રીતે આગળ આવી પોતાની વિરુદ્ધ થતા અન્યાય સામે ફરિયાદ નોંધાવી કાયદાકીય મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ મનિષાબેન ચારેલે વિદ્યાર્થીનીઓને કારકિર્દી કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપીકા ડૉ અનિતાબેન પાદરીયા એ કર્યું હતું તથા આભાર દર્શન ડૉ સંગીતાબેન વહિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા CWDC કમિટીના તમામ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સેમિનારમાં કૉલેજની સર્વે પ્રાધ્યાપિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. તથા કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણો ને દૂર કરી હતી.

