Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

પંકજ પંડિત

સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી ભવ્ય કથાનું આયોજનઝાલોદ નગરમાં પ્રથમ વાર ભારતના દિવ્ય અને પ્રખર કથાકાર તરીકે જાણીતા રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહેલ છે. આ કથાનું આયોજન સ્વ: શિવાભાઈ પટેલ પરિવારના સૌજન્ય થી કરવામાં આવી રહેલ છે. નગરમાં પ્રથમ વખત રમેશભાઈ ઓઝાની ભાગવત કથા યોજાઈ રહેલ છે તેને લઈ નગરજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. આ કથા માટે શિવાભાઈ પટેલના પરિવારજનો નગરના દરેક સમાજના તન અને મન થી સહયોગ મળે તે માટે અલગ અલગ મીટિંગ કરી રહેલ છે તેમજ મીટિંગમા વિવિધ સમિતિઓની રચના કરી જવાબદારી નિભાવી શકે તેવા લોકોની અલગ અલગ કામગીરી માટેની કમિટી બનાવવામાં આવી રહેલ છે. જ્યાં જ્યાં અલગ અલગ સમાજ સાથે મીટિંગ થઈ રહેલ છે ત્યાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહેલ છે. આ ભાગવત કથામાં તમામ સમાજો આ જ્ઞાનપારાયણનો લાભ લે તે માટે મોટા પ્રમાણમાં આયોજનની રૂપરેખા બનાવવામાં આવી રહેલ છે. કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે આ કથા નગરમાં 25-12-2025 થી 31-12-2025 સુધી બપોરના 3 થી સાંજના 6:30 વાગ્યા સુધી પ્રભુતા પાર્ટી પ્લોટ પાછળ વણકતલાઈ મંદિર રોડ ઝાલોદ ખાતે યોજવામાં આવનાર છે.

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા ધાબળા અને સ્વેટર નું વિતરણ

gujaratjanekta

આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન

gujaratjanekta

સવીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial