પંકજ પંડિત
ઝાલોદ નગરમાં અંદાજીત રાત્રીના સાત વાગ્યા પછી GJ-18-ZT-0712 નંબરની GSRTC નિગમની એક બસ ઝાલોદ બસ સ્ટેશન ખાતે આવી રહેલ હતી ત્યારે જાહેર માર્ગ પર સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસનું આગળનું પૈડુ ખાડામાં ઉતરી પડેલ હતું. જોકે બસમા બેસેલ કોઈ પણ મુસાફરોને કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી.
હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી રહેલ છે જેથી કોઈપણ કામગીરી માટે ખાડા ખોદવામાં આવે તો પાણી પડવાથી તે દબાઈ જાય છે. વરસાદી ઋતુમા ખાડા ખોદવામા આવે ત્યારે કોઈ વાહન કે રાહદારી આ ખાડામાં ન પડી જાય તે માટે ખાડા ખોદનાર જવાબદાર એજન્સીઓએ સલામતી દર્શાવતા સાધાનો મૂકવા જોઈએ જેથી કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય.

