Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બસ સ્ટેશન પાસે સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસ ઉતરી

પંકજ પંડિત

ઝાલોદ નગરમાં અંદાજીત રાત્રીના સાત વાગ્યા પછી GJ-18-ZT-0712 નંબરની GSRTC નિગમની એક બસ ઝાલોદ બસ સ્ટેશન ખાતે આવી રહેલ હતી ત્યારે જાહેર માર્ગ પર સલામતીના સાધનો વગર ખોદકામ કરેલ ખાડામાં એસ.ટી બસનું આગળનું પૈડુ ખાડામાં ઉતરી પડેલ હતું. જોકે બસમા બેસેલ કોઈ પણ મુસાફરોને કોઈ પણ જાતની જાનહાની થયેલ નથી.
હાલ નગરમાં ચોમાસાનો માહોલ જામી રહેલ છે જેથી કોઈપણ કામગીરી માટે ખાડા ખોદવામાં આવે તો પાણી પડવાથી તે દબાઈ જાય છે. વરસાદી ઋતુમા ખાડા ખોદવામા આવે ત્યારે કોઈ વાહન કે રાહદારી આ ખાડામાં ન પડી જાય તે માટે ખાડા ખોદનાર જવાબદાર એજન્સીઓએ સલામતી દર્શાવતા સાધાનો મૂકવા જોઈએ જેથી કોઈ પણ જાતનો અકસ્માત ન સર્જાય.

Share

Related posts

વુમન સાયન્સ ક્લબ ગોધરા દ્વારા કણજીયા ખાતે ગ્રામસભા તથા મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

આયુષ્માન આરોગ્ય મંદીર ધાવડીયા ખાતે વિશ્વ વસ્તી દિન ની ઉજવણી અંતર્ગત લઘુ શિબિર યોજાઈ

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે ઉમેદવારી પત્ર માટેનું જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ નિરગુડેનું જાહેરનામુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial