પંકજ પંડિત
ભગવાન જગન્નાથજીની યાત્રા નગરમાં નીકળનાર છે તેની પૂર્વ તૈયારી રૂપે ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલની અધ્યક્ષતા હેઠળ નગરમાં રૂટ નિરીક્ષણ તેમજ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ પર આવતા જતા રસ્તાઓ પર રૂટ નિરીક્ષણ કરી વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા ચેકિંગ પણ કરવામાં આવેલ હતું. ડી.વય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા પી.આઈ એચ.સી.રાઠવા તેમજ પી.એસ.આઈ આર.વી.રાઠોડને સુરક્ષા અંતર્ગત વિવિધ સુચનો પણ આપવામાં આવેલ છે. રથયાત્રામા કોઈ ખલેલ ન પહોંચે તેમજ કોઈ વિધ્ન ન આવે તે માટે શાંતિમય વાતાવરણ વચ્ચે એકતાનો ભાવ રાખી હળીમળીને રથયાત્રા કાઢવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

