ઝાલોદ તાલુકાના પીપળીયા ખાતે રહેતી બારીયા આશાબેનની AIIMSમાં પસંદગી થતાં પરિવાર સહિત તાલુકાનુ ગૌરવ વધાર્યું. AIIMSમાં પસંદગી થવું મોટા ભાગના વિધાર્થીઓનુ સપનુ હોતું હોય છે. ત્યારે બારીયા આશાબેન દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી. જે મહેનતના ભાગ રૂપે યુવતીનું AIIMS new Delhi ખાતે પસંદગી થઈ. દાહોદ જિલ્લામાં લોકો ઓછું ભણતર મેળવેલ હોય ત્યારે આદિવાસી સમાજની દીકરી AIIMS ખાતે પસંદગી થતાં સમાજમાં પણ ખુશીની લહેર જોવા મળી.

