Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ કેશવ માધવ સખી મંડળ દ્વારા ગૌ રક્ષા દળ દાહોદના સહયોગથી પક્ષીઓના કુંજનું વિતરણ કર્યું

પંકજ પંડિત
ઝાલોદ 75 થી વધુ પક્ષીઓના કુંજનુ વિતરણ કરવામાં આવ્યુંહાલ નગરમાં કેશવ માધવ સખી મંડળ દ્વારા અવારનવાર સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. હાલ નગરમાં આકરો ઉનાળો બેસેલ છે અને મૂંગા પક્ષીઓને પીવાનું પાણી નથી મળતું તેને લઈ ઉનાળાની કાળઝાળ ગરમીમા ગૌ રક્ષા દળ દાહોદના સહયોગથી કેશવ માધવ સખી મંડળ દ્વારા પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ વિવિધ વિસ્તારોમાં વિના મૂલ્યે કરવામાં આવ્યુ હતું. આ કુંજના વિતરણ સમયે અનોખો ઉત્સાહ સ્થાનિકોએ બતાવ્યો હતો. અંદાજીત 75 થી વધુ પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમા પ્રમુખ પિનલબેન પંચાલ,ઉપપ્રમુખ જીગ્નિશાબેન પંચાલ, સરોજબેન ભાટી,નિલમબેન પંચાલ દ્રારા ઘરે ઘરે જઈ પક્ષીઓના પાણીના કુંજનુ વિતરણ કરવામા આવેલ હતું.

Share

Related posts

માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ માં ભવ્ય તિરંગા યાત્રાની રેલી કાઢવામાં આવી હતી.

gujaratjanekta

સબડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બેસેલ ની:સહાય વૃદ્ધ વ્યક્તિની વહારે આવી ઝાલોદ પોલીસ

gujaratjanekta

‘છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓ પણ પૂર્વ પતિ પાસેથી આજીવન ભરણપોષણની હકદાર’

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial