પંકજ પંડિત
ઝાલોદ નગરના મુવાડા રામજી મંદિર ખાતે માઁ શક્તિ ગરબા મંડળ દ્વારા વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદના ગરબા કરવાનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ કાશ્મીરના પહલગામમા પાકિસ્તાન સમર્થિત ઇસ્લામીક આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ 26 હિન્દુઓની હત્યા કરી હતી તેમની આત્માની શાંતિ મળે તેમજ ભરાતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના કેમ્પો પર પાકિસ્તાનમાં ઘૂસી નેસ્તનાબૂદ કર્યા હતા તેને લઈ સીમા પર તેમજ ભારત દેશમાં યુદ્ધ થશે તેઓ માહોલ સર્જાયો હતો. જો યુદ્ધ થાય તો મોટી જાનહાનિ થાય તે ના થાય તે માટે મુવાડા પટેલ સમાજની આનંદના ગરબાની બહેનો દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વશાંતિ સર્જાય તે માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લે મા શક્તિ ગરબા મંડળની બહેનો દ્વારા દેશના સૈનિકો માટે આદરભાવ પ્રગટ કરતા દેશ ભક્તિના ગીતો ની પણ રમઝટ બોલાવી હતી.

