Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે રાજકોટના યુવક પાસે લગ્નની લાલચની આડમાં રૂપિયાની માંગણી : માંગણી પુરી ન થતાં યુવકને ઢોર માર માર્યો

પંકજ પંડિત

ઝાલોદ યુવકનું દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત રાજકોટ ખાતે રહેતા બે ભાઈઓ રમેશ કરમશી ડાગરેચીયા અને મૂકેશ જે ગેરેજનુ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમાં રમેશભાઈની પત્નીનું અમુક કારણોસર ચૌદ વર્ષ પહેલાં છૂટાછેડા થયેલ છે. બંને ભાઈઓનુ ગેરેજ રાજકોટ થી ત્રીસ કિલોમીટર દૂર કાગદડી ગામે આવેલ છે. તેમના ગેરેજ પર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામના મજૂરો આવજા કરતા હતા અને તેઓ સાથે બંને ભાઇઓની સારી મિત્રતા થઈ ગયેલ હતી. લીમડી મુકામે રહેતા સુનીતાબેન અને પ્રવિણભાઈ રમેશભાઈના ઘરે આવી તેમના નાનાભાઈ મૂકેશભાઈ સાથે લગ્નની વાત કરી તેઓ પાસે અઢી લાખ રોકડા અને અઢી કિલો ચાંદીની માંગણી કરેલ હતી જેથી રમેશભાઈએ લગ્નની ના પાડી દીધેલ હતી.રમેશભાઈ પ્રવિણભાઈ, વિપુલભાઈ તેમજ સુનિતાબેન તેમજ તેમના મળતીયા સાગરિતો દ્વારા બીજી છોકરી બતાવવા માટે લાલચ આપી હતી અને તેઓ બીજી છોકરી જોવા રાજકોટ થી લીમડી ( દાહોદ) આવેલ હતા. રમેશભાઈ તારીખ 07-05-2025 ના રોજ રાજકોટ થી નીકળી 08-05-2025 ના રોજ બપોરે લીમડી મુકામે પહોંચી ગયેલ હતા. રમેશભાઈ લીમડી મુકામે આવી પ્રવિણભાઈ,વિપુલભાઈ અને સુનીતાબેનને મળવા આવેલ હતા અને આ મંડળી તેઓને બીજી છોકરી બતાવવાની લાલચે બોલાવેલ હતા. આ ત્રિપુટી તેમજ તેમના સાથે અન્ય વ્યક્તિઓ જોડાઈ રમેશભાઈને ઘરે રાખી તેઓ પાસે દસ લાખ રૂપિયાની માંગણી કરેલ હતી અને જો દસ લાખ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. આ વાતની જાણ રમેશભાઈએ તેમની બેનને કરી હતી આવી વાતની જાણ પરિવારમાં થતા તેઓ ડઘાઈ ગયેલ હતા અને તેઓએ તાત્કાલિક રાજકોટ પોલિસ સ્ટેશન ખાતે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના પી.આઈ રાણેને કરી હતી.ઉપરોક્ત ત્રિપુટી તેમજ તેમના સાગરિતોએ ચાકલીયાની આસપાસના કોઈ ગામે બોલાવી ગોંધી રાખી દસ લાખ રૃપિયાની માંગણી કરી હતી તેમજ તેઓને હથિયારો વડે ઢોર માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત રમેશભાઈને ઢોર માર મારી તેમને ચાકલીયાના સુમસામ ખેતરમાં ફેંકી દેવામાં આવેલ હતા. ઝાલોદ પોલિસને ખબર પડતાં તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ હતા ત્યાં પહોંચતા રમેશભાઈ જીવિત હતા પોલિસ દ્વારા તાત્કાલિક રમેશભાઈને દાહોદ ઝાયડસ ખાતે મોકલી આપેલ હતો. ઝાલોદ પોલિસ દ્વારા રમેશભાઈને તેમના પરિવાર સાથે વિડિયો કોલ પર વાત કરાવતા પોલિસને સમગ્ર ઘટનાની જાણકારી મળેલ હતી ત્યારબાદ પોલિસ દ્વારા આ અંગે તાત્કાલિક પગલાં ભરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધેલ હતા. ઝાલોદ ડિવિઝન પોલીસને આ અંગે એક જ દિવસમાં મોતને ઘાટ ઉતારનાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી.

Share

Related posts

કોઠંબામાં પ્રવેશદ્વારે જ ઢીંચણ સમા ગંદા પાણી ભરાયા : તંત્ર કોન્ટ્રાક્ટરોને શાબાશી આપી રહ્યું છે !?

gujaratjanekta

દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતમાં કેજરીવાલની એન્ટ્રી ! : બે દિવસીય જનસંવાદ – જાણો વધુ

gujaratjanekta

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial