પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારી અને મામલતદાર વહીવટી તંત્રને સાથે લઈ તાલુકાના અલગ અલગ ગામોમાં તબક્કાવાર રાત્રી સભા યોજી ગ્રામીણ વિસ્તારોના પ્રશ્નોના નિવારણ માટે પ્રયાસ કરતા હોય છે. ઝાલોદ તાલુકાના સાંપોઈ મુકામે પ્રાંત અધિકારી એ.કે.ભાટીયાના અધ્યક્ષ સ્થાને વહીવટી તંત્રની મદદ થી રાત્રી સભા પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી.ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને માહિતી આપી હતી. વિવિધ પ્રોજેક્ટ હેઠળ ગામમાં ચાલતા વિકાસના કામોમા કોઈ સૂચન કે કોઈ મુશ્કેલી હોય તો ગ્રામજનોને જણાવવા માટે કહ્યું હતું. ગ્રામજનોને ગામમાં પડતી કોઇ સમસ્યા અને તેના નિરાકરણ માટે પ્રાંત અધિકારી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગામમાં જે પણ સમસ્યાઓ છે તેના સમાધાન માટે વહીવટી તંત્ર ચોક્કસ કામગીરી કરશે તેવું આશ્વાસન ગ્રામજનોને આપવામાં આવેલ હતું. પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા દ્વારા સાંપોઈ ગ્રામ પંચાયતની મુલાકાત કરી વહીવટી કામની ચકાસણી કરવામાં આવી હતી. આજની રાત્રી સભામાં પ્રાંત અધિકારી એ.કે.ભાટીયા,મામલતદારએસ.એમ.પરમાર તેમજ તાલુકા પંચાયત અધિકારી, તાલુકા પંચાયત સભ્ય, સરપંચ તલાટી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.

