પંકજ પંડિત
માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ બ્રહ્મ ,સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા ,અનંતા એજ્યુકેશન અને વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સરગાસણ ગાંધીનગર તથા પર્યાવરણ સંરક્ષણ પ્રકલ્પ સંયોજકતાના ઉપક્રમે ગાંધીનગર ના ટાઉનહોલમાં પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણ માટે પ્લાસ્ટિક મુક્ત ભારત અને શાળા હરિયાળી ,શાળા સ્વચ્છતા,વૃક્ષારોપણ અંતર્ગત કાર્ય કરનાર શિક્ષકો માટેના આ એવોર્ડ કાર્યક્રમમાં રાજ્યભરના 33 જિલ્લામાંથી 2525 જેટલા શિક્ષકો જોડાયા હતા. આપણા દાહોદ જિલ્લાના પર્યાવરણ પ્રેમી 29 શિક્ષકો અને ઝાલોદ તાલુકાની ફુલપુરા મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પરમાર નરેશભાઈ દશરથભાઈ ને શીલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

