Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના બામણીયા કૂવાની હાલત દયનીય : પાલિકા સત્વરે કામગીરી કરે તેવી લોકમાંગ

પંકજ પંડિત

ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે થી આગળ વધતા તેમજ ખોડીયાર મંદિરની નજીક નગરનો સહુ થી પ્રાચીન મીઠા પાણીનો બામણીયો કુવો આવેલ છે. આજે નગરપાલિકા દ્વારા ભલે દરેક ઘરમાં નળ કનેક્શન આપેલ છે પણ નગરના અમુક લોકો તો હજુ પણ આ કૂવાનું પાણી લેવા નિયમિત આવતા હોય છે. આ કૂવો અંદર થી પોલો થઈ ગયેલ છે એટલેકે કૂવાની અંદરની દિવાલો પડી ગયેલ છે.આ કુવામાં અંદરથી નુકશાન થયેલ હોવાથી પાણી ભરવા આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ કોઈ ગંભીર ઘટના બની શકે તેમ છે. જો કૂવાની અંદરની દિવાલો સતત ઘસાતી જતી હોય તો અનાયાસે કોઈ દિવસ પાણી ભરવા આવનાર વ્યક્તિ જો પાણી ભરતો હોય તો કોઈ દિવસ માટી બેસી જવાથી તે વ્યક્તિ સાથે કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. પાલિકા તંત્ર આ અંગે સફાળે જાગી આ અંગે સર્વે કરાવી તેની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું પાલિકા તંત્ર આ અંગે ક્યારે કેવા પગલાં લે છે.

Share

Related posts

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta

ચાઇલ્ડ વેલ્ફર કમીટીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી દ્વારા નાનાવડદલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું 👇

gujaratjanekta

ગુજરાતમાં નવી સરકારે 4 IASને અગ્ર સિચવ તરીકે, 9ને સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવાનો ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટીએ નિર્ણય લીધો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial