પંકજ પંડિત
ઝાલોદ નગરના સોમનાથ મહાદેવ મંદિરે થી આગળ વધતા તેમજ ખોડીયાર મંદિરની નજીક નગરનો સહુ થી પ્રાચીન મીઠા પાણીનો બામણીયો કુવો આવેલ છે. આજે નગરપાલિકા દ્વારા ભલે દરેક ઘરમાં નળ કનેક્શન આપેલ છે પણ નગરના અમુક લોકો તો હજુ પણ આ કૂવાનું પાણી લેવા નિયમિત આવતા હોય છે. આ કૂવો અંદર થી પોલો થઈ ગયેલ છે એટલેકે કૂવાની અંદરની દિવાલો પડી ગયેલ છે.આ કુવામાં અંદરથી નુકશાન થયેલ હોવાથી પાણી ભરવા આવનાર કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ કોઈ ગંભીર ઘટના બની શકે તેમ છે. જો કૂવાની અંદરની દિવાલો સતત ઘસાતી જતી હોય તો અનાયાસે કોઈ દિવસ પાણી ભરવા આવનાર વ્યક્તિ જો પાણી ભરતો હોય તો કોઈ દિવસ માટી બેસી જવાથી તે વ્યક્તિ સાથે કોઈપણ જાતની જાનહાનિ સર્જાઈ શકે તેમ છે. પાલિકા તંત્ર આ અંગે સફાળે જાગી આ અંગે સર્વે કરાવી તેની કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવું રહ્યું પાલિકા તંત્ર આ અંગે ક્યારે કેવા પગલાં લે છે.

