ગોધરા ખાતે દિવ્યાંગ બાળકોની મારુતીનંદન આશ્રમ શાળામાં વી વુમન વન્ડર ક્લબ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષાબંધન અને દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગ બાળકો સાથે દેશભકિતના ગીતો , રક્ષાબંધન કાર્યક્રમ અને ત્યારબાદ બાળકો સાથે જ ભોજન પ્રસાદ કરવામાં આવ્યો. દિવ્યાંગ બાળકો દેશભકતિના ગીતોથી આનંદિત થયા હતા.
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્મિતાબેન શુક્લ, મંત્રી નિમિષાબેન દવે , ફાલ્ગુનીબેન રાવલ, કોમલબેન ભટ્ટ, ક્રિષ્નાબેન ભટ્ટ, નિલમબેન પુરાણી અને કલાબેન પંડયા તેમજ હિમાક્ષીબેન સોની અને શાંતિબેન દ્વારા વિવિધ કલાત્મક પ્રવૃતિ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે આનંદ સાથે ભક્તિમય રીતે કાર્ય હાથ ધર્યું હતું. અંતમા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રીતેનદરસિંહ દ્વારા વી વન્ડર વુમન ક્લબ નો આભાર માનવામા આવ્યો હતો.

