પંકજ પંડિત
ઝાલોદ રામજી મંદિર ખાતે પટેલ સમાજ દ્વારા દરેક ધાર્મિક કાર્યક્રમો અતિ ઉમંગ અને શ્રદ્ધાભેર કરવામાં આવતા હોય છે તેમજ મંદિરના દરેક ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો સમાજની સર્વ સંમતિ થી થતા હોઈ મોટા પ્રમાણમાં પટેલ સમાજના લોકોની ઉપસ્થિતિ રહેતી હોય છે.
મુવાડા રામજી મંદિર ખાતે પટેલ સમાજની બહેનો દ્વારા અખંડ રામાયણ પાઠનું પારાયણ રામનવમી નિમિતે યોજવામાં આવ્યું હતું ચૈત્ર સુદ એકમથી દરરોજ સવારના અગ્યાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અખંડ રામાયણ પાઠનુ પારાયણ પટેલ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતું હતું જેની પૂર્ણાહુતિ આજરોજ 05-04-2025 ના રોજ બપોરે 1 વાગે કરવામાં આવી હતી. મુવાડા સમાજની મહિલાઓ દ્વારા વર્ષોથી રામનવમી નિમિતે અખંડ રામાયણ પારાયણનુ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોટા પ્રમાણમાં પટેલ સમાજની બહેનો શ્રદ્ધાભેર ભાગ લેતા હોય છે.

