પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના માંડલીખૂંટા ગામે અલગ અલગ ફળિયામાં રહેતા બે પ્રેમી પંખીડાઓએ બંનેના એક બીજા સાથે લગ્ન નહીં થાય તેવું લાગતા અંદાજીત ઉમર 21 વર્ષીય યુવક અને અંદાજીત 19 વર્ષીય યુવતીએ વહેલી સવારે ઉઠી એક ખેતરમા ચાલ્યા ગયા હતા તેવું સાંભળવા મળેલ છે. ખેતરમા જઈ આ બંને પ્રેમી પંખીડાએ એક ઝાડ પર ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હોવાની પ્રાથમિક જાણકારી મળેલ છે. સાંભળ્યા મળ્યા મુજબ યુવકના અન્ય જગ્યાએ લગ્ન નક્કી થઈ ગયેલ હતા અને ટૂંક દિવસોમા યુવકના લગ્ન આવી રહેલ હતા. પરંતુ આ બંને પ્રેમી પંખીડાઓએ એક બીજા સાથે રહેવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગી રહેલ હતું તેથી બંને પ્રેમી યુગલે આજરોજ વહેલી સવારે પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.આ બંને યુગલ પોતાના ઘરે વહેલી સવારે ન જોવાતા બંનેના પરિવારજનો એ શોધખોળ આદરી હતી અને અંદાજીત આ ઘટના પોલિસને સવારે 9 વાગે ખબર પડતાં બંને યુગલને ઝાડ પર થી નીચે ઉતારી બંને યુગલને ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે પી.એમ માટે લાવવામાં આવેલ હતા. આ સમગ્ર ઘટના હાલ સાંભળવા મળેલ મુજબ જ છે સાચી હકીકત પોલિસ તપાસ બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે.

