પંકજ પંડિત
હિન્દુ કેલેંડર અનુસાર નવ વર્ષ એટલે કે વર્ષ પ્રતિપદા ઉત્સવ. ભારતીય નવ વર્ષની શરૂઆત ચૈત્ર સુદ એકમના દિવસે થાય છે. આજના દિવસે જ સૃષ્ટીની રચના, રામચંદ્ર ભગવાનનો રાજ્યાભિષેક થયો હતો. ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદા વિક્રમ સંવત 2032 નું સ્વાગત સાથે નવરાત્રિ પ્રારંભ પણ આજ થી જ થાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દર વર્ષે ચૈત્ર શુક્લ એકમના દિવસે વર્ષ પ્રતિપદાને નવા વર્ષ તરીકે ઉજવે છે. દરેક હિન્દુ પોતાના નવા વર્ષને ઓળખે અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને ન ભૂલે તે માટે 30-03-2025 રવિવારના રોજ સવારે 10 કલાકે સહુ આર.એસ.એસના કાર્યકર્તાઓ સંઘના ગણવેશ પહેરી બી.એમ.હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહેલ હતા. ત્યાં પ્રાર્થના કરી સંઘના સહુ કાર્યકર્તાઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં પથ સંચલન રૂપે નગરમાં સીસ્તબદ્ધ રીતે નગરમાં ભ્રમણ કર્યું હતું. આ પથ સંચલન નગરના બી.એમ.હાઈસ્કૂલ થી બસ સ્ટેશન, આંબેડકર ચોક ,ખાંટવાડા ,ગીતામંદિર, સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા,મીઠાચોક, શહિદ રાજેશ ચોક ,ભરત ટાવર થઈ બી.એમ.હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થયેલ હતું. છેલ્લે સહુ સંઘના કાર્યકર્તાઓને વર્ષ પ્રતિપદા ઉત્સવ વિશે માહિતી આપવામાં આવી હતી.

