કિશોર સોલન્કી
પોલીસ મહા નિરીક્ષક શ્રી આર.વી. અસારી , પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સૂચના હેઠળ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા નાઓએ દાહોદ જિલ્લામાં અસલ સામાજિક તત્વો સામે કરવા સૂચના માર્ગદર્શન આપેલ.જે અનુસંધાને દાહોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.પી ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, કોમ્બિંગ, અટકાયતી ગુનેગારો ઉપર કાર્યવાહી કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવેલ અને ભૂતકાળમાં બે કે તેથી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોય કે અન્ય અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય તેવા ઇસમોની યાદી બનાવી અસામાજિક તત્વોને પોલીસ હેડકોટર તાલીમ ભવન ખાતે બોલાવી તેઓની હાલની પ્રવૃત્તિ અંગે પૂછપરછ કરવામાં આવેલ અને અસામાજિક પ્રવૃત્તિથી દૂર રહી કાયદામાં રહેવા કડક સુચના કરી અને તેઓએ ગેરકાયદેસર દબાણ તેમજ વીજ જોડાણ કરેલ હોય તો દૂર કરવા આવેલ

