ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા પાટલા પ્લોટ માં આવેલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલ gmય ખાતે સંચાલિકા નીતા દીધી ના અધ્યક્ષ સ્થાને શિવ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રીએ પરમાત્મા શિવ અવતરણનો યાદગાર દિવસ છે વિશ્વના કરોડો આત્માઓનો પોકાર સાંભળી સર્વ માનવ બંધુઓને સત્ય જીવનનો રાહ દર્શાવવા પરમાત્મા શિવનું ભારતભૂમિમાં માઉન્ટ આબુ ની પવિત્ર ધરતી પર દિવ્ય અવતરણ થઈ ચૂકેલ છેસ્વયમ પરમાત્મા દિવ દિવ્ય બુદ્ધિ રૂપિ નેત્ર પ્રદાન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે જેના દ્વારા આપણું જીવન સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે આ પ્રસંગને વધાવી આપણાથી બનતું ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શિવ મહોત્સવની ઉજવણી કરીએ અને કરાવીએઆ પ્રસંગે નીતા દીદી તેમજ તેમની સેવિકાઓ બેલા દીદી તેમજ આજુબાજુની સર્વે બહેનો દ્વારા પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો હતો અને ગામના આગેવાનો તેમજ શિક્ષકબંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા

