Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ મહાલક્ષ્મી મંદિર ખાતે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન માટેની સમીક્ષા બેઠક યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ મહાલક્ષ્મી મંદિર ખાતે પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય નવીદિલ્હી દ્વારા પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન સંવર્ધન પરિસદ ભારત તથા ગુજરાત રાજ્ય ,દીવ દમણ અને દાદરા નગર હવેલીના સ્ટેટ ચેરમેન એસ.એમ.ખાંટના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના પ્રેસિડેન્ટ વી.એસ.બામણીયાના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા સમિતિના વાઇસ. પ્રેસિડેન્ટ કમલસિહ ચોહાણ તથા અન્ય જિલ્લા ડાયરેકટરોની વિશેષ ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક ઝાલોદ નગરના મહાલક્ષ્મી મંદિર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવું, પ્રદૂષણ અટકાવવું, પર્યાવરણ, વન, જળવાયુના સંવર્ધન માટે જરૂરી માર્ગદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યું હતું. “તેમણે એકપેડ મા કે નામ” નામનું સૂત્ર આપી તેને સાર્થક કરવા જણાવ્યું હતુ.
તેમજ આ દરેક યોજનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ખેડૂતો સાથે સંકલન કરી ભારત સરકાર દ્વારા ચાલતી આ કામગીરીને સમજાવી આના ફાયદાઓ જણાવવા જેથી વધુમાં વધુ લોકો જોડાય. આજની આ મીટીંગ ઝાલોદ ખાતે નિમાયેલ પ્રમુખ મીનાક્ષીબેન દવે દ્વારા યોજવામાં આવેલ હતી. આજની આ મીટીંગમાં લીમખેડા તાલુકા પ્રમુખ શ્રી એસ.એમ.બારીયા ઉપપ્રમુખ કનુભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહેલ હતા.

Share

Related posts

ફતેપુરા પંચાલ સમાજના પ્રમુખ પંકજભાઈ પંચાલના મકાન પર પધારતા પંજાબના શાહી ઈમામ

gujaratjanekta

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇશુદાન ગઢવી બનશે CM

gujaratjanekta

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial