ઝાલોદ કૉલેજમાં વક્તૃત્વ તથા સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાનું કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ઝાલોદમાં સંસ્થાનાં આચાર્ય શ્રી ડૉ એ. આર. મોદીસાહેબની પ્રેરણાથી”IA ટેકનોલોજી માનવજીવન માટે ક્રાંતિ કે ખતરો” વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંકે પટેલ કાવેરી બીજા ક્રમાંકે ઠાકુર સૃષ્ટિ તથા ત્રીજા ક્રમાંકે સતિષભાઈ રહ્યા હતા.
આ ઉપરાંત ફોટોગ્રાફી સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ બંને સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન ડૉ. અનીતાબેન પાદરીયાએ કર્યું હતું જ્યારે ડૉ. આર. આર. ગોહિલ, ડૉ. આર. કે. મેર, તથા ડૉ. અનિલ ડામોરે નિર્ણાયક તરીકે ભૂમિકા અદા કરેલ હતી.

