પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની ઝલક શેર કરી હતી. અત્યારે ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યાં છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ પણ લેતા હોય છે. આ કાર્યક્રમના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ખુબ જ વખાણ કર્યાં છે
https://x.com/narendramodi/status/1875484167066284147
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોની કેટલીક ઝલક અહીં છે. મને આ શો સાથે મજબૂત લગાવ છે, કારણ કે મેં મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેને વધતો જોયો છે. આવા શો પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરે છે અને ટકાઉપણું વિશે જાગૃતિને પ્રેરણા આપે છે. તેઓ સ્થાનિક ખેડૂતો, માળીઓ અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ આપે છે.”

