ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા દ્વારા તારીખ 1 /1/ 2025 અને બુધવારના રોજ શાળામાંથી પ્રવાસનું આયોજન પ્રવાસ મંત્રી શ્રી એચ. જે.પારગી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આચાર્યશ્રી ડી. એન. પ્રજાપતિ સાહેબ અને તમામ સ્ટાફગણનાં સહયોગથી આ પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રવાસ વન-ડે નો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પોઇચા ખાતે રાખવામાં આવ્યો હતો તેમાં શાળાના વહીવટી સ્ટાફ તેમજ શિક્ષકો સ્ટાફ દ્વારા આ પ્રવાસને સફળ બનાવવા માટે પૂરેપૂરો સહયોગ કર્યો હતો તેમજ આચાર્ય સાહેબ તેમજ વહીવટી સ્ટાફ અને શિક્ષક સ્ટાફ નો ખૂબ જ સાથ સહકારથી આ પ્રવાસ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

