ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
શિવશક્તિ એગ્રીટેક લિમીટેડ કંપની દ્વારા એગ્રીકલ્ચર ઓફિસર ધર્મેન્દ્ર કુમાર બઘેલ તારીખ-26/12/2024 ના રોજ, ગામ – રૂપગઢ, તા-ડુંગરા, જિલ્લો-બાંસવાડા, (રાજસ્થાન ગુજરાત બોર્ડર)
ખેડૂત લુકજીભાઈ ડામોરને ત્યાં કિસાન સંમેલન કરવામાં આવેલ હતું ત્યારે માહિતી આપી હતી કે રાસાયણિક અને જંતુનાશક દવા દ્વારા ખેતી કરવાથી માનવ અને પર્યાવરણ ઉપર બહુજ ખરાબ પ્રભાવ પડી રહીયો છે જેનાથી મનુષ્યોની અંદર રોગો ઘરદીઠ જોવા મળી રહ્યા છે, જેમકે હાર્ટએટેક, કેન્સર, પથરી, લકવો, ડાયાબીટીસ વગેરે જેવી વિવિધ પ્રકારની બિમારીઓ થઈ રહી છે, આનાથી બચવા (છુટકારો મેળવવા) માટે ઓર્ગોનીક, જૈવિક ખેતી તરફ વળવુંજ પડશે (ખેતી કરવીજ પડશે) જેનાથી આવનાર સમયમાં ખેતીની ઉપજ વધારે થાય, શાકભાજી, અનાજ અને ફળફળાદી સ્વાદિષ્ટ લાગે માનવીઓના સ્વાસ્થય (શરીર) સારું રહે અને પર્યાવરણ ઉપર કોઈ આડઅસર ના થાય.

