ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આજ રોજ જૈન સમાજના સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નું ફતેપુરામાં આગમન થતાં જૈન સમાજમાં ઉત્સવનો માહોલ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી ફતેપુરા નગરમાં પધારેલા સંત ગુરુ આનંદ સાગર મહારાજ તેમજ ઉત્સવ ચંદ્ર સાગર મહારાજ નગરમાં આવેલ જૈન સમાજના જૈન મંદિર પરિસરમાં ત્રણથી ચાર દિવસ સાંજના સાત થી આઠ વાગ્યા દરમ્યાન સત્સંગ પ્રવચન આપશે જેનો લાભ અને લહાવો જૈન સમાજ ના લોકો સહિત ફતેપુરા નગરના નગરજનો ને મળશે

