પંકજ પંડિત
ઝાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા નગરના વિકાસના પ્રોજેક્ટ તેમજ નગરને વધુ સુંદર બનાવવા માટે વિવિધ સર્કલોનુ પુનઃ નવીનીકરણ તેમજ લાઈટો સાથે સજ્જ સુંદર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહેલ છે. ઝાલોદ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતી પ્રતિમા આવેલ હતી, હાલમાં સાંભળ્યા મળ્યા મુજબ સ્વર્ણિમ સર્કલ ખાતે આદિવાસી સમાજના ભગવાન એવા બીરસા મુંડાની પ્રતિમા મુકવામાં આવનાર છે.નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા સ્વર્ણિમ સર્કલ પર થી આદિવાસી સમાજની પ્રતિમા હટાવવા માટે વિરોધ કરાયો હતો તેમજ તેઓ નગરપાલિકામાં આદિવાસી સમાજના પૂર્વ કાઉન્સિલર હોવા છતાંય આ સ્વર્ણિમ સર્કલના નવીનીકરણ અંગે તેઓને અને આદિવાસી સમાજને અંધારામાં રાખ્યા હોવાનું તેઓ જણાવે છે. પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ નું કહેવું છે કે અહીંયા નગરપાલિકા દ્વારા નવીનીકરણ હેઠળ બીરસા મુંડાની પ્રતિમા મૂકે છે તેનો વિરોધ નથી પરંતુ આ સર્કલ પર આદિવાસી સમાજની ઓળખ સમા પ્રતિમાને જે તે સ્થાન પર રહેવા દઇ ભગવાન બીરસા મુંડાની પ્રતિમા અન્ય સર્કલ પર મૂકવામાં આવતું તો આદિવાસી સમાજનું ગૌરવ હજુ વધુ વધતું જેથી લલકાભાઈ નું કહેવું છે કે આદિવાસી સમાજની ઓળખ ધરાવતો ઝાલોદ તાલુકામાં આદિવાસી સંસ્કૃતિની ઓળખમા વધારો થવો જોઈએ જેથી આદિવાસી સમાજના લોકોમાં પોતાની સંસ્કૃતિ વધુ ઉજાગર થાય.

