પંકજ પંડિત
રાજયોગ એજ્યુકેશન એંડ રિસર્ચ ફાઉંડેશન અને વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે જરૂરિયાત મંદ લાભાર્થીઓને કીટ વિતરણનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં કુલ 215 લાભાર્થીઓને કીટ વિતરણ બ્રહ્માકુમારીઝના મીતા દીદી તેમજ વસંત મસાલાના ઝાલોદ ફેક્ટરીના ઉપસ્થિત સ્ટાફના હસ્તે કરવામાં આવ્યો હતો.ઝાલોદ ખાતે પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને લાભ લીધો હતો.

