પંકજ પંડિત
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા તારીખ 17-11-2024 રવિવારના રોજ ક્રાઇમ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ દરમિયાન દાહોદ જિલ્લામાં અલગ અલગ ક્રાઇમને લગતા ગુનાઓમા જે પોલિસ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી તે દરેક લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીમાં ઝાલોદ પોલીસ સ્ટેશનના પી.આઈ રાઠવા તેમજ પો.કો વિક્રમસિંહ ને તાજેતરમાં ધાવડીયા ચેક પોસ્ટ પર પોલિસ દ્વારા તારીખ 23-10-2024 ના રોજ ચેકિંગ કરવામા આવી રહેલ હતું તે દરમિયાન અફીણના પોષડોડા કુલ 22 થેલા ઝડપી પાડવામા સફળતા મેળવી હતી જેની અંદાજિત કિંમત 12,95,760 રૂપિયા હતી. આ કેસમાં આંતર રાજ્ય મધ્યપ્રદેશ થી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદેસર હેરાફેરી કરાવનાર 5 સૂત્રધારોને ઝડપી પાડવાનું પ્રસંસનીય કામગીરી કરેલ હતી તેને દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા પ્રમાણપત્ર આપી આ કામગીરીને બિરદાવી હતી જેથી ભવિષ્યમાં પણ પોલિસ સતત આવી સુંદર કામગીરી કરતા રહે.

