પંકજ પંડિત
નગરપાલિકા દ્વારા નોંધાયેલ ફરિયાદ 24 થી 48 કલાકમાં દૂર કરવા પ્રયાણ કરાશે ઝાલોદ નગરમાં નાની નાની સમસ્યાઓ ઘણી બધી હોય છે તેમાં ઘણી સમસ્યાઓ વહીવટી તંત્રને કદાચ ધ્યાને ન આવી હોય તે માટે નગરના હિતમાં તેમજ 24 થી 48 કલાકમાં તેના નિવારણ માટે નગરપાલિકા દ્વારા ટોલ ફ્રી નંબર 1800-599-9659 નંબર ઉપર થી 14420 નંબર ડાયલ કરવું અથવા 02670225269 પર ડાયલ કરી સમસ્યા નોંધાવવાની રહેશે જેથી જે તે સમસ્યાના સમાધાન તેમજ ઉકેલ માટે નગરપાલિકા ત્વરિત પગલાં લઈ શકે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર સોશિયલ મીડિયામા જાહેર કરાતા સમસ્યા લખાવવા માટે જાહેર જનતા કોલ કરવા લાગી હતી તેથી કોલ ન લાગવાની ફરિયાદો પણ લોકોમાં ઉઠવા પામી હતી. હાલ તો નગરજનો ઈચ્છી રહેલ છે પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ નંબર કાયમ ચાલુ રહે જેથી નગરજનો પોતાની સમસ્યાઓ નોંધાવી સમાધાન મેળવી શકે.

