પંકજ પંડિત
હાલ ઝાલોદ નગરમાં રામસાગર તળાવ પાસે બાળ ક્રિડાંગણનુ નવીનીકરણની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ છે. છેલ્લા ઘણા સમયની બાળકો માટે રમવા માટે આ ક્રિડાંગણ ખંડેર હતું હવે જ્યારે બાળકો માટે રમવા માટે નવા સાધનો પણ મુકવામાં આવી રહેલ છે તેમજ હાલ નગરપાલિકા દ્વારા બાળ ક્રીડાંગણની એક દિવાલ પર I 🩷 lOVE JHALOD લખેલ સુંદર વાક્ય મુકવામાં આવેલ છે પણ જે જગ્યાએ મુકવામાં આવેલ છે ત્યાંથી તેનો કોઈ ઉઠાવ આવતો નથી તેવું ત્યાં રહેતા સ્થાનિકોનુ માનવુ છે તો આ I 🩷 lOVE JHALOD લખેલ વાક્ય બાળ ક્રિડાંગણના દરવાજા પાસે મુકવામાં આવે તેવુ ત્યાં રહેતા સ્થાનિકોનુ કહેવુ છે જેથી અહીં રામસાગર તળાવ પાસે ફરવા આવનાર લોકો આનો સેલ્ફી પોઇન્ટ તરીકે ઉપયોગ કરી શકે તેમજ બાળ ક્રિડાંગણની અંદર પણ આવી કોઈ અન્ય સુંદર કલાકૃતિ મુકવામાં આવે જેથી બાળકો તેનું સેલ્ફી પોઇન્ટ તરીકે ઉપયોગ કરી શકે.
નગરના લોકો વતી ચીફ ઓફિસર હઠીલા તેમજ કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા I 🩷 LOVE JHALOD ને સેલ્ફી પોઇન્ટ તરીકે વિચારીને યોગ્ય જગ્યાએ મુકવા માટે બાંહેધરી આપી હતી. તેમજ આ ગાર્ડન વધુ આધુનિક અને સુંદર દેખાય તે માટે અન્ય કોઈ યોગ્ય સૂઝાવ હસે તો તે અંગે વિચારણા કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

