આજરોજ જાગૃતિ સેવા કેન્દ્ર વાગેલા મુકામે તારીખ ૫/૧૦/૨૦૨૪ ને શનિવારના રોજ સવારના 10 :15 કલાકે આસો નવરાત્રી દરમિયાન સામૂહિક અનુષ્ઠાન કરતાં ભાઈ બહેનોને ઝાલોદ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહામંત્રની ઉપયોગીતા વિશે તેમજ અનુષ્ઠાન કરવાથી થતા લાભ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ છે સાથે મંત્ર લેખન બુક તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ કરવા પણ અનુરોધ કરેલ છે. સામૂહિક રીતે અનુષ્ઠાન કરતાં ભાઈ બહેનોને સમાજને વ્યસન મુક્ત બનાવો કુરિવાજોથી મુક્ત કરવો ખોટા ખર્ચ થતા હોય તો અટકાવવા અને વધુને વધુ ભાઈ બહેનોને ગાયત્રી પર પરિવારમાં જોડવા તેમજ જીવન ઉપયોગી સાહિત્યનું વાંચન કરવું અને બીજાઓ પાસે કરાવવું. સાચી દિશામાં વધુ મહેનત કરી વધુ આવક પ્રાપ્ત કરી પોતાના બાળકોને સારામાં સારું શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા સમાજની પ્રગતિ થાય ધર્મ અને સંસ્કૃતિ સાથે તમામ ભાઈ બહેનો જોડાઈ રહે ધર્મ પ્રત્યેશ્રદ્ધા વિશ્વાસ વધે તેવા પ્રયત્નો કરવા તમામ યુવા ભાઈ બહેનોને તારીખ 14 15 16 ડિસેમ્બર દરમિયાન સુરત મુકામે શાંતિ કુંજના નેતૃત્વમા જોડાવવા હાકલ કરાઈ છે.

