દાહોદ:- દાહોદ જિલ્લામાં ભારે પવન અને વરસાદને કારણે. નગરાળા જેશાવાડા મુખ્ય માર્ગ ઉપર વૃક્ષો પડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી અજય બારીયા , તેમની ટીમ અને ગ્રામજનો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

