પંકજ પંડિત
ઝાલોદની શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે એન.એન.એસ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં એન.એન.એસના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નૃત્ય, ગીત, જનજાગૃતિ માટે નાટક, એકપાત્રીય અભિનય વગેરે પ્રસ્તુત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેઘનાબેને એન.એન.એસનો પરિચય આપ્યો હતો. એન. એન. એસ. વિભાગના કૉ ઓર્ડીનેટર ડૉ. બહાદુરસિંહ ગોહિલ સાહેબે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કોલેજના આચાર્ય મધુકરભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક સ્ટાફ તથા મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

