પંકજ પંડિત
નગરમાં ચર્ચા મુજબ ગૌમાંસ સાથે પકડાયેલ વ્યક્તિ અન્ય દુકાનોમા પણ માલ વેચતો હતોઝાલોદ પોલિસ 24-09-2024 ના રોજ નગરમાં પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન અંદાજીત સવારના 7:30 કલાકે પોલિસને બાતમી મળેલ હતી કે ઝાલોદ કસ્બા ફળિયામાં હુસૈની ચોકમા તોસીફ ઇબ્રાહીમ ભઠીયારાના મકાનમાં આરોપી ગેરકાયદેસર રીતે વગર પરમીટે ગૌમાંસ વેચી રહેલ છે તેના આધારે ઝાલોદ પોલિસ ત્યાં પહોંચી તપાસ કરતા પોલીસને શકમંદ જણાતો અંદાજીત 20 કિલો જેની કિમત અંદાજીત કિમત 4000 રૂપિયાનો ગૌમાંસ મળી આવેલ હતો પોલિસ દ્વારા શંકાસ્પદ જણાતુ માંસ શેનુ છે તેની તપાસ અર્થે સુરત એફ.એસ.એલ કચેરી ખાતે મોકલેલ હતો. સુરત એફએસએલ કચેરીએ તપાસ કરતા આ જથ્થો ગૌમાંસ હોવાનું માલુમ પડેલ હતું.પોલિસ દ્વારા ગેરકાયદેસર રીતે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ નોંધી તોસીફ ઇબ્રાહીમ ભઠીયારાની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.જે વ્યક્તિના પર ઝાલોદ પોલિસ સ્ટેશનમા ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ છે તે વ્યક્તિ નગરમાં દુકાનોમાં પણ વેચતો હતો તેવું લોકચર્ચા મા જાણવા મળેલ છે. તો આ વ્યક્તિ ક્યાં ક્યાં માસની વેચતો હતો તે દિશામાં પોલિસ કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે.

