ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા એસ ટી સ્ટેન્ડની મુલાકાત લેતા ગોધરા વિભાગીય નિયામક શ્રી બી આર ડીંડોરઝાલોદ થી ગલીયાકોટ વાયા ફતેપુરા દિવસમાં બે ફેરા તેમજ સાંજે 5:00 વાગે ફતેપુરા થી ઝાલોદ જવા માટે નવીન એસ ટી રુટો શું કરવા માટે માંગણી કરવામાં આવીફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ એસ ટી સ્ટેન્ડની અચાનક ગોધરા વિભાગીય નિયામક બી આર ડીંડોર અચાનક મુલાકાત લીધેલ હતી આમ મુલાકાત દરમિયાન તેઓએ કંટ્રોલ પોઈન્ટ ને પણ મુલાકાત લઈ કંટ્રોલ પોઇન્ટ ના અધિકારી ગુલાબભાઈ પારગી જોડે ચર્ચા કરી હતી તેમજ એસટી સ્ટેન્ડમાં સફાઈ બાબતે જરૂરી ચર્ચા વિચારણા કરેલ હતી તેમજ વિભાગ્ય નિયામક શ્રી બી આર ડીંડોર ને ગામના જાગૃત નાગરિકો દ્વારા ઝાલોદ થી ગલીયાકોટ વાયા ફતેપુરા દિવસમાં બે ફેરા કરે તેમ જ સાંજના સમયે સાંજે 5:00 વાગ્યે ફતેપુરા થી ઝાલોદ જવા માટે નવીન એસ ટી રુટો શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી તેમજ આર સી સી રસ્તો તૂટી ગયેલ હોય અને એસ ટી સ્ટેન્ડમાં ખાડા પડેલ હોય તાત્કાલિક રીપેરીંગ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિભાગે નિયામકશ્રી શાંતિથી રજૂઆત સાંભળી યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા માટે બાહેધારી આપેલ હતી

