વનકર્મીઓની સરાહનીય કામગીરી
દાહોદ:- દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદને કારણે. દાહોદ જેશાવાડા મુખ્ય માર્ગ ગરબાડા રોડ ,ઝાલોદ રોડ રાબડાલ રોડ ઉપર ઝાડપડવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા વન વિભાગના અધિકારી શ્રી, તેમની ટીમો દ્વારા ઝાડ હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. વાહન વ્યવહારને કોઈપણ પ્રકારની અસર ન થાય તેની પુરેપુરી તકેદારી રાખી આ માર્ગ યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

