પંકજ પંડિત
શ્રી ગાયત્રી માધ્યમિક શાળા ચિત્રોડીયામા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રંગોળી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા ,ભજન સ્પર્ધા, જેવી સ્પર્ધાનું આયોજન કરાયું હતું.આ સ્પર્ધાઓમા વિધાર્થીઓ આદિવાસી સંસ્કૃતિના પહેરવેશ પહેરી શાળામાં આવ્યા હતા
ત્યાર બાદ શાળા મંડળના પ્રમુખ અને ગ્રામજનોએ પણ આ દિવસની ઉજવણીમા વિધાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને બિરસા મુડા દ્વારા અંગ્રજો સામે કરેલ લડતની માહિતી વિદ્યાર્થી ને આપવામાં આવી હતી. ત્યાર બાદ અંતે આદિવાસી લોક નૃત્ય કરવામા આવ્યા અને ઉત્સાહ પૂર્વક આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

