સંકેત પંડ્યા – એડિટર
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તાર જોરાપુરા માં રહેતા ગામ લોકો એ ગામ માં પાણી, પાકા મકાન, શૌચાલય, આરોગ્યની પ્રાથમિક સુવિધા અને સ્વરોજગારી ન મળતા આજે પંચમહાલ જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું હતું અને તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ‘અમે વિકાસ નથી જોયો અમને પણ વિકાસ ના દર્શન કરાવો.’ બે પાન ના હૈયાની વેદના ઠાલવતા આવેદન માં સરકાર દ્વારા કરવામાં આવતી સાઇનિંગ ઇન્ડિયા, ડિજિટલ ના વાગતા ઢોલ નગારાઓ વચ્ચે થતી વિશ્વ ગુરુ બનવાની વાતો અને પીએમ અને સીએમ નંબર વન ના દાવાઓ વચ્ચે ગામડાઓ ના લોકો વિકાસ ને શોધી રહ્યા છે.
ગ્રામીણ ક્ષેત્રો માં વિકાસ ક્યાં છે ? ગામડા માં નથી પીવાનું પાણી, નથી પાકા મકાનો, નથી શૌચાલયો. ગામલોકો એ જિલ્લા કલેક્ટર ને જણાવ્યું છે કે જોરાપુરા ગામ ના લોકોએ હજી વિકાસ દર્શન કર્યા નથી, ગામ માં પીવાના પાણી માટે ગામ ની મહિલાઓએ બે કિલો મીટર સુધી ભટકવું પડે છે. મોબાઈલ અને લેપટોપ ની ટેકનોલોજી માં દેશ માં ખુશહાલી ના બણગા ફૂંકાવામાં આવતા હોય અને કાચા ઝુંપડા ની જગ્યાએ પાકા મકાનો અપાવવાના વચનો આપવામાં આવતા હોય છતાં મહિલાઓ એ પીવાના પાણી મેળવવા ભટકવું પડી રહ્યું છે. આખરે આ વિકાસ છે તો છે ક્યાં !!?

