સતત જનજાતિ સમાજ ની એકતા ,અખંડિતતા અને ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યે જન જાગૃતિ હેતું ઝઝુમતા “માં ભારતી” નાં સપુત નરેશભાઈ માવી નાં સુપુત્ર ચિ.યશરાજ નાં જન્મદિન નિમિતે જુનાપાણી ગામે સ્થિત એક વિશેષ પ્રકારની વ્યવસ્થા થી ચાલતા આત્મનિર્ભર ( કોઈપણ પ્રકારની સરકારી સહાય વગર) છાત્રાલય માં નિવાસી 45 જેટલાં છાત્રો નું દાહોદ સ્થિત સંતોકબાઈ હોસ્પિટલ નાં ખ્યાતનામ બાળરોગ નિષ્ણાત ડો. વિનોદ મંડોવરા સાહેબ અને ગણેશ ક્લિનિક , નવાગામ નાં તબિબ દ્વારા પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓ અને છાત્રો ને “રક્તદાન” અને”અંગદાન ” વિષે માહિતી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.આ પ્રસંગે મદદરૂપ થનાર ડો.મંડોવરા સાહેબ , ડો.તરૂણભાઈ તથા ગ્રામજનો નો અંતઃકરણ પૂર્વક આભારી છું

