પંકજ પંડિત
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામા ખાતર સમયસર ખેડુતોને મળી રહે તેમજ કાળા બજારી અટકે તે બાબતે આપ પાર્ટીના પ્રમુખ આપ ઉમેદવાર અનિલભાઇ ગરાસિયા દ્વારા દાહોદ જી-વિસતરણ અધિકારીની રુબરુ મુલાકાત લઈ રજૂઆત કરાઈ હતી..ખાસ કરી જીલ્લાના દરેક તાલુકામા સંજેલી,ફતેપુરા,સુખસર જેવા દરેક તાલુકા લેવલે ખાતર વિક્રેતાઓને નિયમ અનુસાર દરેક વિક્રેતા ભાવ પત્રક પોતાની દુકાનની બહાર જોવાય તે પ્રમાણે દર્શાવે,સ્ટોકપત્રક તેમજ ખાતરનુ બીલ દરેક ખેડુતોને અવશ્ય આપે સાથે જ અન્ય વસ્તુઓ ખાતર લેતી વેળા ફરજ ના પાડે જેમકે નેનો યુરિયા ખેડુતોને ખાતર સાથે આપવામા ના આવે તેવી માંગ કરવામા આવી ખાસ કરી ખાતરમા થતી કાળા બજારી અટકે તેવી માંગ વધુ કરાઈ હતી.જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમા વિલંબ કરાશે તો આવનાર સમયે ગાંધી માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

