Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખેડુતોને યોગ્ય સમયે ખાતર મળી રહે તેમજ કાળા બજારી અટકાવવા કરાઈ રજૂઆત

પંકજ પંડિત

દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામા ખાતર સમયસર ખેડુતોને મળી રહે તેમજ કાળા બજારી અટકે તે બાબતે આપ પાર્ટીના પ્રમુખ આપ ઉમેદવાર અનિલભાઇ ગરાસિયા દ્વારા દાહોદ જી-વિસતરણ અધિકારીની રુબરુ મુલાકાત લઈ રજૂઆત કરાઈ હતી..ખાસ કરી જીલ્લાના દરેક તાલુકામા સંજેલી,ફતેપુરા,સુખસર જેવા દરેક તાલુકા લેવલે ખાતર વિક્રેતાઓને નિયમ અનુસાર દરેક વિક્રેતા ભાવ પત્રક પોતાની દુકાનની બહાર જોવાય તે પ્રમાણે દર્શાવે,સ્ટોકપત્રક તેમજ ખાતરનુ બીલ દરેક ખેડુતોને અવશ્ય આપે સાથે જ અન્ય વસ્તુઓ ખાતર લેતી વેળા ફરજ ના પાડે જેમકે નેનો યુરિયા ખેડુતોને ખાતર સાથે આપવામા ના આવે તેવી માંગ કરવામા આવી ખાસ કરી ખાતરમા થતી કાળા બજારી અટકે તેવી માંગ વધુ કરાઈ હતી.જો આ બાબતે યોગ્ય કાર્યવાહીમા વિલંબ કરાશે તો આવનાર સમયે ગાંધી માર્ગે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંગડ મોડલ સ્કૂલ ખાતે ધારાસભ્ય શ્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં નારી સંમેલન યોજાયું

gujaratjanekta

ઝાલોદ સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ખાતેવર્લ્ડ હિપેટાઇટીસડેની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જંગલ ખાતાની જમીનમાં પશુઓ ચરાવવા માટે લાંચ લેતા બે વ્યક્તિ ઝડપાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial