Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યા

પંકજ પંડિત

ઝાલોદ પોલિસ દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણ વ્યક્તિઓને ખોવાયેલ મોબાઇલ પરત આપ્યામોબાઇલ મેળવી ત્રણે વ્યક્તિઓએ પોલિસની કામગીરીની પ્રસંશા કરઝાલોદ પોલિસ સ્ટેશનમા ત્રણ વ્યક્તિઓએ પોતાના મોબાઈલ અલગ અલગ સ્થળે પડી ગયેલ હોવાની ફરિયાદ કરેલ હતી તેના આધારે ઝાલોદ પોલિસ સ્ટેશનના આઈ.ટી એક્સપર્ટ દ્વારા અલગ અલગ મોબાઈલના આઈ.એમ.આઈ નંબર ટ્રેસ કરી ખોવાઈ ગયેલ મોબાઇલની શોધખોળ આદરી હતી. ઝાલોદ પોલિસ દ્વારા ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરી ત્રણ મોબાઇલ રિકવર કરેલ હતા.
જેમાં અરવિંદભાઈ પ્રજાપતિ ( રહે. ગાંગડતલાઈ ,રાજસ્થાન) નો ઓપ્પો A58 સાંપોઈ ખાતે 26-07-2025 , પ્રજાપતિ ચિરાગ રાજૂભાઈ ( સૂખસર) તેમનો આઈફોન 11 સત્કાર હોટલ પાસે પડી ગયેલ હતો, ભાભોર વિકાસ રમેશ ( રણીયાર) વીવો y400 મોબાઇલ ઈશાન હોસ્પિટલ પાસે પડી ગયેલ હતો. આ ત્રણેય વ્યક્તિઓના મોબાઇલ ઝાલોદ પોલિસ દ્વારા ટેકનિકલ એક્સપર્ટની મદદ લઇ પરત મેળવેલ હતા. જેને લઈ ઝાલોદ પોલીસના પી.આઈ રવિ ગામીત અને પી.એસ.આઇ સી.કે સીસોદીયા દ્વારા તેરા તુઝકો અર્પણ અંતર્ગત ત્રણેય વ્યક્તિઓને મોબાઇલ પરત સોપ્યા હતા. ત્રણેય વ્યક્તિઓને પોતાના મોબાઈલ પરત મળતા પોલીસ દ્વારા થયેલ સરાહનીય કામગીરીની પ્રસંશા કરી પોલિસનો આભાર માન્યો હતો.

Share

Related posts

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહભાગી બનતા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને જનરલ ડૉ. વી.કે.સિંહ

Admin

શાળા પ્રવેશોત્સવ એટલેઉજ્જવળ ભવિષ્યનો મંગલ પ્રારંભ

gujaratjanekta

યજ્ઞ : પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આરોગ્ય સહાય કેન્દ્ર અને રક્તદાન યજ્ઞ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial