Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષ સ્થાને ધાનપુર ખાતે ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજાઈ

દાહોદ : ધાનપુર ખાતે પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં ચિંતન શિબિર તથા તાલુકા સંકલન બેઠક યોજવામા આવી હતી.

આ દરમ્યાન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.પી. રમન દ્વારા ચાંદીપુરમ વાયરસ અંગે પી.પી.ટી. રજુ કરી વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ધાનપુરની દરેક શાળાઓ અને આંગણવાડી ખાતે બાળકોને આ વાયરસ વિશે ઊંડાણપૂર્વક માહિતી આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી છે.

આ પ્રકારનો કોઈ પણ શંકા સ્પદ કેસ જણાય તો તાત્કાલિક પણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત નમોશ્રી યોજના વિષે પણ વિગતે જાણકારી આપવામાં આવી હતી.

આ બેઠક નિમિતે ગરબાડા ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આપણો મત – આપણી તાકાત દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતે મતદાન જાગૃતિ માટે રંગોળી કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

હોબાળો:લીમડી નગરમાં વારંવાર લાઈટ બંધની સમસ્યાથી નગરજનોમા ભારે રોસ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના સાંપોઇ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઇક પર સવાર એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial