લાડલી બહેના યોજના’ વિશે તો તમે બધાએ બહુ સાંભળ્યું હશે પરંતુ હવે ‘લાડલા ભાઈ યોજના’ પણ શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં આ નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. CM શિંદે અષાઢી એકાદશીના અવસર પર પંઢરપુરના વિઠ્ઠલ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. અહીં મહાપૂજા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે આ યોજના વિશે માહિતી આપી હતી.
CM શિંદેએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર 12મું પાસ કરનારા યુવાનોને દર મહિને 6,000 રૂપિયા આપશે. જ્યારે ડિપ્લોમા કરનારા યુવાનોને 8 હજાર રૂપિયા આપવામાં આવશે. જ્યારે ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 10,000 રૂપિયા આપવામાં આવશે. રાજ્યના યુવાનોને ફેક્ટરીઓમાં એપ્રેન્ટિસશિપ કરવા માટે પૈસા આપવા જઈ રહી છે. આ તેમને કાર્યક્ષમ બનાવશે. ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ સરકારે આવી યોજના રજૂ કરી છે. આ યોજના દ્વારા અમે બેરોજગારીનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ યોજના દ્વારા યુવાનો અન્ય ફેક્ટરીઓમાં અનુભવ અને કૌશલ્ય મેળવશે. હવે મહારાષ્ટ્ર સરકાર તેમને બેરોજગારી દૂર કરવા માટે સ્ટાઈપેન્ડ આપશે.

