.કિશોર સિંહ સોલંકી.
લોકસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૪ અંતર્ગત અત્રેની ૧૩૨–દાહોદ (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને મતદાન અંગે જાગૃતિ વધે અને વધુ મતદાન થાય તે હેતુથી રેલી નું આયોજન દાહોદ ગોધરા રોડ સેન્ટ સ્ટીફન થી ઝવેરબાઈ કન્યાશાળા સુધી કરવામાં હતું. આ રેલીમાં મતદાન વધુ પ્રમાણમાં થાય માટે બેનર્સ સાથે મતદાન માટે મતદારો ને જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ મતદાન રેલી માં મોટી સંખ્યામાં મતદારો અને વિધાર્થીઓ જોડાયા હતા. આ રેલી માં ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ , પ્રોફ મુદ્દસીર મણિયાર, આસિસ્ટન્ટ ઝોનલ શ્રી એચ એફ સાકીર , શ્રી એ એસ સાદાત, બીએલઓ સુશ્રી નીલમબેન જાદવ, નીલમબેન તિવારી , શ્રી પ્રકાશચંદ્ર પંચાલ, શ્રી પ્રદીપ બારીઆ, સરકારી વ્યાજભી ભાવના દુકાનદાર શ્રીઓ ગોપાલભાઈઅગ્રવાલ, જગદીશચંદ્ર શાહ, પંકજ ડાભી અને કિશોર સોલંકી ઓ હાજર રહ્યા હતા. મતદાર રેલીનું સમાપન ઝવેરબાઈ કન્યાશાળામાં કરવામાં આવ્યું હતું. રેલી ના અંતે મતદાન માટે ઝોનલ ઓફિસર શ્રી પ્રોફ ઈસ્હાક શેખ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.

