Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

પંકજ પંડિત- ઝાલોદ.

આજરોજ તારીખ 25-06-2024 મંગળવારના રોજ આસરે સવારે દસ વાગે ઝાલોદ ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ પૂંજાભાઇ ભોઇ દ્વારા નગરના અનાજ ગોડાઉન પર જઈ ત્યાં ઉપસ્થિત ગોડાઉન મેનેજર એસ.કે.ડામોરને સાથે રાખી ગોડાઉન પર ઉપસ્થિત સ્ટાફ તેમજ મજૂરવર્ગના કર્મચારીઓને અચાનક આગ લાગે તો ફાયરના બોટલની પીન કઈ રીતે ખોલવી અને જ્યાં આગ લાગી હોય ત્યાં તે આગને કેટલા અંતરથી કાબુમાં લેવું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ચોમાસાનુ આગમન ધીરે ધીરે નગરમાં થઈ રહેલ છે તે અન્વયે દાહોદ કલેક્ટરની સૂચના મુજબ અચાનક પૂર, આગ, વાવાઝોડા જેવી આપત્તિ આવી જાય તો તેમા ગભરાયા વગર કઈ રીતે કામગીરી કરવી તે અંગે પણ વિસ્તારમાં માહિતી ફાયર વિભાગના ઈન્ચાર્જ બચુભાઈ દ્વારા આપવામાં આવી હતી..

Share

Related posts

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

gujaratjanekta

મધ્ય ગુજરાત તેમજ ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા માટે લાગતી લાંબી કતારો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial